1942 માં આજના દિવસે પૂજ્ય બાપુએ દેશની સ્વતંત્રતાના સંકલ્પ સાથે "ભારત છોડો આંદોલન"ની શરૂઆત કરી. બ્રિટિશ સામ્રાજ્યનો અંત લાવવવાના નિર્ધારથી સૌ ભારતીયો એક થયા હતા. આઝાદીની આ લડતમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટિ કોટિ વંદન.
આઝાદીના અમૃત પર્વ નિમિત્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો. મને ખુશી છે કે આ યાત્રામ��ં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા. દેશપ્રેમથી ભર્યા નૃત્ય અને સંગીતથી સમગ્ર વાતાવરણ અનેરી ઊર્જાથી ભરાઈ ગયું હતું.
અમદાવાદ ખાતે ધરતી વિકાસ મંડળના ‘અમૃત મહોત્સવ’ પર્વ પ્રસંગે હાજરી આપી હતી.સમગ્ર ભારત આજે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના દ્રઢ સંકલ્પથી ���આત્મનિર્ભર ભારત” તરીકે સંકલ્પિત થઈ રહ્યું છે ત્યારે આ સંસ્થા આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું સર્વોચ્ચ ઉદાહરણ સાબિત થયું છે.
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ૨ લાખથી વધુ શિક્ષકો માટે શૈક્ષણિક મહાસંઘોની રજૂઆતો ધ્યાનમાં લઇ રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર
જામનગર જિલ્લાના સિદસર ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ અને રજત જયંતી દશાબ્દિ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ દાતાશ્રીઓને સન્માનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
અમદાવાદના વાડજ સ્થિત ડોહલી માતાના મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ લીધા હતા.માતાજી આપણા પર અસીમ કૃપા વરસાવે અને તેમના આશીર્વાદ આપણા સૌ પર બન્યા રહે તેવી પ્રાર્થના.
મારા મતક્ષેત્રના વસ્ત્રાપુર ખાતે “રાજસ્થાન સ્થાપના દિવસ”અંતર્ગત ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ ઉપ���ાંત પ્રદેશના વિવિધ ક્ષેત્રમાં અગ્રિમ હરોળના મહાનુભાવોને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે વિધાનસભા ખાતે પોતાનું સંબોધન કરશે.આપણે સૌ આ અવસરે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.
@rashtrapatibhvn
ગુજરાતના લોકોની ઉદારતા ભારતીય સંસ્કૃતિની એક પ્રમુખ વિશેષતા છે.પ્રાચીનકાળથી આ ક્ષેત્રમાં બધા પંથ અને સમુદાયના લોકો બંધુતા સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ગુજરાતી મોડેલ ઑફ ડેવલપમેન્ટ એક અનુકરણીય ઉદાહરણ તરીકે દેખાય છે.(૨/૨)
@rashtrapatibhvn
ગુજરાત રાજ્યની લોકશાહીના મંદિર સમાન વિધાનસભા ગૃહ ખાતે આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથજી કોવિંદે પોતાનું ઉર્જાસભર સંબોધન કર્યું હતું.આ અવસરે તેઓશ્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં ગુજરાતથી વધુ ઉપયોગી કોઈ સ્થાન નથી.(૧/૨)
@rashtrapatibhvn
સુસ્વાગતમ્
ગુજરાતના પ્રવાસે પધારેલ દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથજી કોવિંદ નું અમદાવાદ હવાઈમથક ખાતે ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.
@rashtrapatibhvn