માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમાં પૂર્વ અગ્નિવીરો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય !
✅ દેશની સરહદોની રક્ષા કરનારા આપણા અગ્નિવીરો હવે ગુજરાતની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
✅ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પૂર્વ અગ્નિવીરોને રાજ્યના પોલીસ દળ, SRP અને જેલ વિભાગ સહિતની વર્ગ-૩ની સીધી ભરતીમાં ૨૦% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
✅ સેનાની કડક તાલીમ પામેલા આ વીરોને શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં પણ વિશેષ છૂટછાટ આપવામાં આવશે.
✅ વય મર્યાદામાં ૩ વર્ષ (અને પ્રથમ બેચ માટે ૫ વર્ષ) સુધીની મોટી છૂટ આપવામાં આવશે.
✅ આ નિર્ણયનો લાભ હથિયારી PSI, હથિયારી કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, SRP પ્લાટૂન કમાન્ડરની ભરતીમાં મળવાપાત્ર થશે.
✅ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-૨ અને જેલ સિપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-૩ તેમજ વન પાલ વર્ગ-૩ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ મળવાપાત્ર બનશે.
મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻
ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું.
પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ.
Grateful for the love and support from everyone. Instead of hoardings and banners, let’s share our joy through social service and bring light to those in need.
SWASTHYA SAMVAD
BY DEPARTMENT OF HEALTH AND FAMILY WELFARE-GUJARAT
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક.. Mother and child Health Special Podcast
સ્વાસ્થ્ય સંવાદમાં ડૉ.નયન જાની (અધિક નિયામક–પરિવાર કલ્યાણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ–ગુજરાત) દ્વારા આરોગ્યલક્ષી જાણકારી.
#SwasthyaSamvad