બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં અશાંત ધારા હેઠળની પૂર્વ મંજૂરી પ્રક્રિયા હવે ટેક્નોલોજીના અસરકારક ઉપયોગથી વધુ સરળ અને પારદર્શક બની છે. હવે અરજદારો ઘરે બેઠા જ પોતાની અરજીનો હુકમ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
https://t.co/Iyz2noQZ7w
@CMOGuj@JayantiRavi
કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ગેરકાયદેસર કતલખાનેથી બચાવાયેલા પશુઓના ભરણપોષણ માટે શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસાને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની ગ્રાન્ટમાંથી ₹૨૦,૦૦,૨૫૦/- નો ચેક એનાયત કરવામા આવ્યો. @CMOGuj@InfoGujarat
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા પાલનપુર શહેરમાં નિર્માણ પામનાર આઇકોનિક ૮ લેન રોડ સંદર્ભે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@InfoGujarat@CMOGuj
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા હડાદ તાલુકાના વડનાલ તથા નવાવાસ કાંઠ તેમજ દાંતા તાલુકાના માળ ગામોની મુલાકાત લઇ, તલાટીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
DILR કચેરી ખાતે રેકોર્ડ સ્કેનિંગ કામગીરી અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat#CollectorChhotaudepur#GargiJainIAS
સ્વચ્છતાને જીવનમંત્ર બનાવી જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનએ જિલ્લામાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ખાસ કામગીરી હાથ ધરી છે. તેના અનુસંધાને છોટાઉદેપુર નગરમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો, સ્વયંસેવકો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉત્સાહભેર જોડાયા હતા.
આજ રોજ બોડેલી તાલુકાના ઉચાપાન ગ્રામ પંચાયત ખાતે આવેલ PHC ની માનનીય કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન લોકોને મળતી આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી અને કામગીરીની વિગતોની સમીક્ષા કરવામાં આવી.
તેમણે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” આ સૂત્રને સાર્થક કરવા તમામ હિતધારકોને સહભાગી બનીને સમર્પિત પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું.
#CollectorChhotaudepur#GargiJainIAS
આ બેઠકમાં યાત્રાધામ તથા તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન દ્વારા તમામ અધિકારીઓ અને સાધુ-મહાત્માઓને યાત્રાધામોને સ્વચ્છ રાખવા માટે સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લાના વિવિધ યાત્રાધામોના સાધુ-મહાત્માઓ તથા સંબંધિત અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી.