આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@sanghaviharsh
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@jitu_vaghani
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@irushikeshpatel
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@arjunmodhwadia
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની નાની એવી ઝલક નો વિડિઓ
https://t.co/OvwrT3Cudx
@CMOGuj@RaghavjiPatel@AgriGoI@GujAgriDept
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજા સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@Rivaba4BJP
રવિ કૃષિ મહોત્સવ 2025-26 નગરપાલિકા હોલ સાણંદ ખાતે યોજાયેલ તેમાં માન્ય ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કંચનબા વાઘેલા, ઉપપ્રમુખ વાસુભાઈ તથા કૃષિ વિભાગ ના કર્મચારીઓ તેમજ મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સાહેબશ્રી એ આજ રોજ ગુજકોમાસોલ સાણંદ ખાતે મુલાકાત લીધી તેમજ ડાંગર કીટ વિતરણ ચાલુ હતું ત્યારે ખેડૂતને ડાંગર કીટ સાથે આવેલ ઇનપુટ અંગે ખેડૂતને માર્ગદર્શન આપ્યું
📌60254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો સરકારનો નિર્ણય. 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના નો લાભ. સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત..
📌સાતમા પગાર પંચમાં અમુક ભથ્થા ના લાભને પણ આપવાની જાહેરાત કરતી રાજ્ય સરકાર..
📌તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
******
કેબીનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો:👇🏻
- ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું
- ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું
- મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા
- વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો
📌નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા ૬૦ હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
📌રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
📌વધુમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.
📌મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.