ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati
ખરેખર ગુજરાતના સરકારી કર્મચારીઓ એટલા ગુલામ છે કે શોષણ દેખાય છે છતાં કોઈએ બોલવું નથી. ફિક્સ પે નામનું શોષણ માત્ર ગુજરાતમાં જ છે અને ઘણા વર્ષો થી ચાલે છે. પણ આ માયકાંગલી પ્રજા ક્યારે ગુલામી માંથી બહાર આવશે એ તો સમય જ બતાવશે...
@sanghaviharsh Electricity Bill 1500 -26500
Mobile recharge - 500
Daily milk - 30 days 65 of liter milk 1800
Transportation cost 2000
Medical cost 1500
Other miscellaneous cost not counted like movie, shopping, ration, hair cut
This is only employee cost who is living in Gandhinagar.
Please look into this @sanghaviharsh@OfficialGsrtc
વિડિઓમાં જણાવ્યા અનુસાર વડોદરા બસસ્ટેન્ડ પર યુરિનલમાં ગેરકાયદેસર રીતે વસૂલાતી રકમ વિશે જોઈ શકાય છે.
યુરીનલનો ઉપયોગ કરીને આવેલા કેટલાક વ્યક્તિઓ પણ એ વાતને સ્વીકારે છે કે અહીંયા ખોટી રીતે પૈસા વસુલાઈ રહ્યા છે.
@MyVadodara
આ ઘટના જો માત્ર “એક શિક્ષક, એક શાળા, એક ઝઘડો” માનીને આગળ વધીએ, તો આપણે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે ગીર સોમનાથના ઉના તાલુકાના કાળાપણ ગામમાં જે બન્યું છે, તે કોઈ એક શિક્ષિકા અને સરપંચ વચ્ચેનો અંગત વિવાદ નથી, આ ઘટના આજના શિક્ષણતંત્ર, ગ્રામ્ય રાજકારણ અને ટોળાશાહી માનસિકતાનું જીવતું ઉદાહરણ છે.👇🏻
📌શિક્ષિકા અને સરપંચના સામસામે આક્ષેપો👇🏻
🗣️શિક્ષિકા રમાબેન ડાભી, "હું છેલ્લા 18 વર્ષથી અહીં ફરજ બજાવું છું. છેલ્લા છ મહિનાથી સરપંચના પ્રતિનિધિઓ મને શાળા છોડવા મજબૂર કરવા માટે માનસિક ત્રાસ આપી રહ્યા છે. અન્ય શિક્ષકો પણ વિદ્યાર્થીઓને મારી વિરુદ્ધ ઉશ્કેરે છે. આજે સરપંચે શાળામાં આવી મને માર માર્યો છે, જે CCTVમાં સ્પષ્ટ દેખાય છે."
🗣️મહિલા સરપંચ મનીષાબેન. "શિક્ષિકા અવારનવાર બાળકોને રૂમમાં પૂરી દે છે અને તેમને નાપાસ કરવાની ધમકી આપી ઢોર માર મારે છે. ગઈકાલે પણ બાળકોને રૂમમાં પૂરી દેતા ગ્રામજનો મારા ઘરે ફરિયાદ લઈને આવ્યા હતા. અમે કોઈ માર માર્યો નથી, રમાબેન પોતાની ભૂલો છુપાવવા ખોટા આક્ષેપો કરે છે."
👆🏻મને થયેલા પ્રશ્નો👇🏻
🛑❓પ્રશ્ન પહેલો:
🤔જો કોઈ શિક્ષિકા એટલી જ “અન્યાયી, ક્રૂર અને અયોગ્ય” હતી,તો 18 વર્ષ સુધી એ જ શાળામાં, એ જ ગામમાં, કોઈ મોટો વિવાદ કેમ ન થયો ?
શિક્ષણ વિભાગ, CRC, BRC, નિરીક્ષણ, વાલીઓ, પંચાયત આ બધાની આંખે પટ્ટી બંધાયેલી હતી કે શું ?
🛑❓પ્રશ્ન બીજો:
ચાલો, એક ક્ષણ માટે માનીએ કે શિક્ષિકા સામે ફરિયાદો છે.
તો કાયદો શું કહે છે?
👉🏻લેખિત ફરિયાદો
👉🏻તપાસ
👉🏻વિભાગીય કાર્યવાહી
👆🏻આ ત્રણ રસ્તા ખુલ્લા હતા.
તો પછી હાથ ઉઠાવવાનો રસ્તો કોણે ખોલ્યો ? અને શા માટે ?🤔
😥ક્યાં લખ્યું છે કે
“સરપંચને જે સાચું લાગે, તે માર મારવાનો હક ધરાવે”
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં.” ચાણક્યનું આ વિધાન આજે ગીર સોમનાથના કાળાપણ ગામની ભાગોળે દમ તોડતું દેખાય છે. જ્યારે એક મહિલા શિક્ષિકા પર ગામના સરપંચ અને ટોળા દ્વારા હાથ ઉપાડવામાં આવે, ત્યારે એ થપ્પડ માત્ર એક વ્યક્તિના ગાલ પર નથી પડી, પણ લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર પડી છે.
🤔૧૮ વર્ષનો વનવાસ કે વિશ્વાસ ?
કોઈપણ તર્કબદ્ધ વ્યક્તિએ પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે જે શિક્ષિકા વિરુદ્ધ આજે અચાનક આટલો રોષ ફાટી નીકળ્યો તે જ શિક્ષિકા તે જ શાળામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરજ બજાવે છે. જો તે ખરેખર બાળકોને રૂમમાં પૂરી દેતા હોત કે ઢોર માર મારતા હોત, તો શું ગામના જાગૃત નાગરિકોએ બે દાયકા સુધી રાહ જોઈ હોત ? ૧૮ વર્ષનો સમયગાળો સાબિત કરે છે કે આ કોઈ લાંબા સમયની કાર્યનિષ્ઠા છે, નહીં કે અચાનક જાગેલું ‘ક્રૂરતા’નું ભૂત.
🤔 ક્યાંક 'ગ્રાન્ટ' અને 'શિસ્ત' વચ્ચેનો સંઘર્ષ તો નથીને આ ?
શાળાઓમાં આવતી ગ્રાન્ટ એ વિકાસ માટે હોય છે, પરંતુ જ્યારે આ ગ્રાન્ટ પર પંચાયતના પ્રતિનિધિઓની નજર બગડે છે ત્યારે પ્રામાણિક શિક્ષક 'વિલન' બની જાય છે. જે આચાર્ય કે શિક્ષક ગ્રાન્ટમાં 'કટકી' કરવા નથી દેતા, તેમને હટાવવા માટે 'બાળકોના હિત'નું મહોરું પહેરવામાં આવે છે. શું આ સંજોગોમાં બાળકોનો ઉપયોગ હથિયાર તરીકે નથી થઈ રહ્યો ? નાના બાળકોને ઉશ્કેરીને તેમની પાસે નિવેદનો અપાવવા એ શિક્ષણજગતની સૌથી મોટી નૈતિક અધોગતિ નથી લાગતી ? શું શિક્ષણના નાણાંને ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે?
🤔સત્તાનો કેફ અને કાયદાનો ભય
સરપંચ એ ગામના રક્ષક છે, ન્યાયાધીશ નથી. જો શિક્ષિકાની કોઈ ભૂલ હોય, તો તેની તપાસ માટે શિક્ષણ વિભાગ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) જેવી વ્યવસ્થાઓ છે. કાયદો હાથમાં લેવાની સત્તા બંધારણે કોઈ સરપંચને આપી નથી. CCTV માં દેખાતો માર મારવાનો દ્રશ્ય એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં ન્યાય નહીં, પણ 'દાદાગીરી'નો ખેલ ખેલાયો છે.
🤔ટોળાશાહી : લોકશાહીનું કેન્સર
ગુજરાતમાં તાજેતરમાં ડોક્ટરો અને હવે શિક્ષકો પર થતા હુમલા એક ખતરનાક ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે. 'ટોળું' હંમેશા તર્ક વગરનું હોય છે. જ્યારે તંત્ર નબળું પડે ત્યારે ટોળાશાહી મજબૂત બળે છે. શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં શિક્ષક ભણાવતા પહેલા પોતાની સુરક્ષા માટે ડરશે ? જો શિક્ષક સુરક્ષિત નહીં હોય, તો તે નિર્ભય બનીને પેઢીનું ઘડતર કેવી રીતે કરશે ?
🚫જો ખરેખર શિક્ષિકા દોષિત હોય તો કાયદેસર કાર્યવાહી એના ઉપર પણ થવી જોઈએ.
📌આ માત્ર કાળાપણ ગામનો કિસ્સો નથી, પણ ગુજરાતની સેંકડો શાળાઓની વાસ્તવિકતા છે.
📌ડોક્ટરોની જેમ શિક્ષકોની સુરક્ષા માટે 'શિક્ષક સુરક્ષા અધિનિયમ' લાવવાની તાતી જરૂર છે.
📌કાયદો હાથમાં લેનારા કોઈપણ હોઈ એને પદભ્રષ્ટ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે.
📌જો ખરેખર ગામ અને બાળકોનું હિત જોઈએ,
તો ગામનું રાજકારણ શાળા સુધી ક્યારેય ન જવું જોઈએ
@KCRathodUna@SP_GirSomnath@collectorgirsom@drpradyumanvaja@Rivaba4BJP
ફિક્સ વેતન સરકારી સિસ્ટમની સૌથી અન્યાયી પદ્ધતિ છે. એકવીસ-બાવીસ વર્ષના યુવાન ઓછામાં ઓછા આઠ-દસ વરસ મહેનત કરે પછી સરકારી નોકરી મેળવે. એમાં પણ પાંચ વર્ષ ફિક્સ સેલેરીમાં કાઢવા પડે. સરવાળે ગ્રેજ્યુએશન પછી નોકરી થાળે પડતા બાર-પંદર વર્ષ નીકળી જાય. ફિક્સ વેતનનો ગાળો ઘટાડીને એટલિસ્ટ બે વરસનો થાય એ જરૂરી છે. સરકાર યુવાનો વિશે વિચારે.